Advertisement
Author: નોબત સમાચાર

મંદિર આડે પાનની રેંકડી ન રાખવાનું કહેતા યુવાન પર ધોકા-પાઈપથી હલ્લો

ઘરે આવી બે શખ્સે ધોકાવી નાખ્યાઃ

જામનગર તા.૧૩ : જામનગરના એક યુવાને મંદિર આડે પાનની રેંકડી ન રાખવાનું કહેતા તેના ઘેર આવી બે શખ્સે ધોકા-પાઈપથી માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા કમલેશ મોહનદાસ નિમાવતે પોતાના ઘરે ધસી આવેલા ભરત નરોત્તમભાઈ ભાનુશાળી તથા જતિન નામના બે શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ગઈકાલે મંદિરે જતા કમલેશે ત્યાં પાનની રેંકડી આડી ઉભી રાખનાર ભરતને રેંકડી ત્યાં ન રાખવા કહ્યું હતું. તેથી ભરતે રેંકડી તો અહીં જ રાખીશ તેમ કહેતા કમલેશભાઈ પોતાના ઘેર ચાલ્યા ગયા હતા. તે પછી ભરત અને જતિન પાઈપ-ધોકા સાથે કમલેશના ઘેર આવી ચડયા હતા અને ગાળો ભાંડી માર મારી ધમકી આપી ગયા હતા. પોલીસે ગુન્હો નોંધી બંને આરોપીની શોધ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh