Advertisement
Author: નોબત સમાચાર

બોર્ડની પરીક્ષાઓ માટે જામનગર જિલ્લામાં નોંધાયા ૨૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓઃ આયોજન ઘડાયું

આગામી ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થનાર ધો. ૧૦ અને ધો. ૧૨ની

જામનગર તા. ૧૩: ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓ આગામી તા. ૨૭થી શરૂ થશે, જામનગરમાં જિલ્લામાં કુલ ૨૭ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી તા. ૨૭ ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે. આ માટે જામનગર જિલ્લામાં કુલ ૨૭૫૮૮ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

જામનગર જિલ્લા મા ધોરણ ૧૦  માં ૧૭૨૩૨ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. જામનગર શહેરના છ સેન્ટર મા  ૩૩ બિલ્ડિંગ અને ૩૦૭  બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી છે . જ્યારે જામનગર દિગ્વિજયના ત્રણ સેન્ટરમાં ૨૬ બિલ્ડીંગ અને ૨૭૩ બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ૮૬૧૮ વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં પરીક્ષા કેન્દ્ર પાંચ ,બિલ્ડીંગ -૨૭  અને ૨૭૯ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.

 ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૭૩૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં બે પરીક્ષા કેન્દ્ર , અને નવ બિલ્ડીંગ થતા ૮૮ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બંને પ્રવાહના મળીને  ૨૭૫૮૮ વિદ્યાર્થી ઓ પરીક્ષા આપનાર છે.

આ પરીક્ષાઓ ના  આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી વિભાગ દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અને સીસીટીવી કેમેરાની  દેખરેખ હેઠળ તમામ પરીક્ષાઓ લેવામાં આવશે .

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh