Advertisement
Author: નોબત સમાચાર

અસ્થમાના દર્દીઓ માટે ઔષધિયુક્ત ખીર સેવનનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે

સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા

જામનગર તા. ૧૩: જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા ફાગણ મહિનાની પૂનમે તા. ૧૩-૦૩-૨૫ના રાત્રે ૧૦:૩૦ વાગ્યે ગાંધીનગરના શિરડી સાંઈબાબા મંદિરમાં અસ્થમાના દર્દીઓ માટે દિવ્ય આયુર્વેદિક ઔષધિયુક્ત ખીર સેવનના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મંડલના પ્રેસીડેન્ટ મોતીલાલ દાસવાણી (૯૪૨૭૫ ૭૪૪૪૧)નો સંપર્ક કરવો.

સામાન્ય લોકોમાં દમના રોગ વિશે એવી ધારણા હોય છે કે દમનો રોગ દર્દીનો દમ નીકળે ત્યાં સુધી મટી શકતો નથી.

દમના દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ દમના રોગથી મુક્તિ મેળવી શકે છે. આ કેમ્પમાં આયુર્વેદના મહાસિદ્ધ પુરૂષોના ગુઢ અનુભવના નિચોડ સ્વરૂપે પૂર્ણચંદ્રની રાત્રિએ આયુર્વેદની દિવ્ય જડીબુટીઓના સંયોજનથી નિર્મિત ઔષધિયુક્ત ખીરના ભૂખ્યા પેટે સેવનથી, ચુસ્ત પરેજી પાલન અને જીવનશૈલીમાં પરિવર્તન અને સુધારા કરી આ રોગમાં લાભ મેળવી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh