Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: આગામી ચાતુર્માસ નિમિત્તે સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય વારિયા ડેલામાં અજરામલ સંપ્રદાય પ.પૂ. ભાવમુનિ મા.સ.ના સુશિષ્યા બ્રા.બ. પ.પૂ. વિશ્વાસીનીબાઈ મા.સ. આદીઠાણા-૪ જામનગર તા. રર/પ ના પધારી રહ્યા છે. મહાસતીની તા. ર૦/પ ના બુધવારે બપોરે ૩-૩૦ થી સાંજના પ-૧પ વાગ્યા સુધી બે સામાયિકનું આયોજન શેખપાટ-શાલીભદ્રનગરમાં ઉપાશ્રયમાં કરવામાં આવ્યું છે. સામાયિક પૂર્ણ થતા સાંજે ૬ વાગ્યે ચૌવિહારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આવવા-જવા માટે રિક્ષાની વ્યવસ્થા બપોરે બે વાગ્યે લોકાગચ્છની વાડીથી કરવામાં આવી છે. આ સામાયિકમાં જોડાવા માગતા હોય તેઓએ નામ નોંધાવા માટે રીટાબેન મેતા (મો. ૭પ૬૭૮ ૮ર૭૭ર) અથવા અનસુયાબેન-મંજુબેન મેતા (મો. ૯૮ર૪પ ૪૭૬પ૩) નો સંપર્ક કરવો, તેમજ લોકાગચ્છ વાડીએ બપોરે ૧-૩૦ થી ર વાગ્યા સુધીમાં પહોંચી જવું
મહાસતીજીનું વ્યાખ્યાન તથા બે સામાયિક તા. ર૧/પ ના બપોરે ૩-૩૦ થી સાંજના પ-૧પ હાલારી વિસા શ્રીમાળીની વાડી (ગામડાવાળા) માં રાખવામાં આવ્યા છે. સાંજે ૬ વાગ્યે ચૌવિહારનું આયોજન હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસીની વાડી, (ગામડાવાળા), હાપામાં કરવામાં આવ્યું છે. શ્રવાક-શ્રાવિકા સતી રત્નોના આગમન સમયે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા તથા આ કાર્યક્રમનો લાભ લેવા દાતા પરિવાર સંઘમાતા હેમલતાબા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ સ્થાનકવાસી જૈન સંઘ કમિટી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial