Advertisement
Author: નોબત સમાચાર

સમર્પણ સર્કલ પાસે ટ્રેન હડફેટે ચઢી ગયેલા નગરના પ્રૌઢનું નિપજ્યું મૃત્યુ

મૃતકના પુત્રનું નોંધાયું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના સમર્પણ સર્કલ નજીક રેલવે ફાટક પરથી ગઈ કાલે સવારે પસાર થતી એક ટ્રેનની હડફેટે ચઢી ગયેલા નગરના પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ સ્થિત આશાપુરા મંદિર પાસે વસવાટ કરતા મહેશભાઈ ખેમચંદભાઈ તાટીયરીયા નામના દેવીપુજક પ્રૌઢ ગઈકાલે સવારે દસેક વાગ્યે સમર્પણ સર્કલ નજીક આવેલા રેલવે ફાટક પાસે હતા.

આ વેળાએ રેલવે ટ્રેક પરથી દહેરાદૂન એક્સપ્રેસ પસાર થઈ હતી. આ વેળાએ પાટા ક્રોસ કરી રહેલા મહેશભાઈને ટ્રેનના તોતિંગ એન્જીનની ટક્કર વાગી હતી. ફેંકાઈ ગયેલા આ પ્રૌઢને માથા તથા બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર સંજય મહેશભાઈએ પોલીસમાં જાણ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh