Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેની લખેલી મનાતી ત્રણ ચિઠ્ઠી, મોબાઈલ મળી આવ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાને શનિવારે રણજીતસાગર નજીક જઈ ઝેરી દવા પી લીધી છે. તેની પાસેથી ત્રણ ચિઠ્ઠી તેમજ મોબાઈલ પ્રાપ્ત થયા છે. આ યુવાનને તેની પત્નીથી દૂર કરવાના સાસુના પ્રયત્નના કારણે તેણે ઝેરી દવા પીધાનું પ્રાથમિક તારણ મળવા પામી રહ્યું છે. હાલમાં આ યુવાનને સારવાર અપાઈ રહી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા દિલી૫ ચંદ્રકાંતભાઈ જેઠવાણી નામના અઠ્ઠયાવીસ વર્ષના સિંધી યુવાને ગયા શનિવારે સવારે રણજીતસાગર નજીક જઈ કોઈ ઝેરી દવા પી લેતાં આ યુવાન બેભાન બની ગયા હતા. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ યુવાને પોતાના પત્ની તેમજ માતા અને બહેનોને ઉદ્દેશીને જુદી જુદી ત્રણ ચિઠ્ઠી લખી છે. જેમાં આ યુવાને પોતાની પત્નીના માતા સામે મરી જવાની દુષ્પ્રેરણા આપવા અંગે આક્ષેપ કર્યાે છે. આ યુવાન જે યુવતી સાથે લગ્ન ગાંઠે જોડાયેલો છે તે યુવતીના બીજા લગ્ન હોવાનું તેની લખેલી ચિઠ્ઠીમાંથી જણાઈ આવી રહ્યું છે. પત્નીના પૂર્વ પતિને બોલાવી દિલીપને તેના સાસુ દૂર કરવાનો પ્રયત્ન કરતા હોવાથી માઠું લાગી આવતા આ યુવાને વિષપાન કર્યું છે. હાલમાં આ યુવાનને સઘન સારવાર અપાઈ રહી છે. તેણે લખેલી ત્રણ ચિઠ્ઠી મળવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial