Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદીઃ
જામનગર તા ૨૦: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગ માટે રૂપિયા ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જે અન્વયે તા. ૨૫-૫-૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાં વી.સી.ઈ. મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જામનગર જિલ્લાના જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવા માંગતા હોય તેઓએ નોંધણી કરાવવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial