Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં સહઆરોપીનો થયો છૂટકારો

૧૧ વર્ષ પહેલાં લાલપુર પોલીસે નોંધ્યો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.રર : લાલપુર પંથકમાંથી ૧૧ વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપી તથા તેના મિત્રની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે સહ આરોપીનો છૂટકારો કર્યાે છે.

લાલપુરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતી એક સગીરાને ગઈ તા.૮-૧-૧૪ની સાંજે પ્રવીણ નામનો શખ્સ પોતાના મિત્ર વિક્રમ જોરાભાઈ સાથે મળી મોટરસાયકલ પર સાથે લઈ ગયો હતો. જ્યાં તે સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૫૦૬ (ર) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૭ હેઠળ ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં બંને આરોપી ઝડપાઈ ગયા હતા.

ઉપરોક્ત કેસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે ભોગ બનનારની ઉંમર અંગે દલીલો રજૂ કરી હતી અને તેણીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર હોવાનું જણાવી આ ગુન્હો પોક્સો એક્ટ હેઠળ આવતો નથી તેમ દલીલ કરી હતી. આરોપી પૈકીનો વિક્રમ મૂળ ફરિયાદીનો જમાઈ થાય છે અને તેની ચાલતી તકરારના કારણે તેને સંડોવવામાં આવ્યો છે. આ દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી વિક્રમ જોરાભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, સંજય જવાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh