Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિમાં ઘટાડો થતા એક જ દિવસમાં
જામનગર તા. ૨૨: જામનગરમાં તિવ્ર ગતિએ ફુંકાતા વાયરાઓ મંદ પડતા એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૪.૫ ડિગ્રી સુધી ઉંચકાયને ૩૮.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે બપોરે આકરો તાપ અનુભવાયો હતો.
જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો નોંધાય છે. નગરમાં છેલ્લા બારેક દિવસથી સતત તેજીલા વાયરાઓ ફુંકાઈ રહ્યાં હતાં, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થયો છે. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિ.મી. રહેવા પામી હતી. ગતિમાન પવનો મંદ પડવાની સાથે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૪.૫ ડિગ્રી સુધી ઉંચકાયને ૩૮.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાન ૩૮ ડિગ્રીને પાર કરી જતા ખાસ કરીને બપોરે આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં. ગરમીમાંથી રાહત મળે તે માટે જનતાએ ઋતુગત ફળો, ઠંડા-પીણા તથા એસી-એરકુલરનો સહારો લીધો હતો. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ૨૪ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૭૮ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial