Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આણદાબાવા ચકલાથી રતનબાઈ મસ્જીદ સુધીનો રસ્તો બે મહિન માટે બંધ

વોર્ડ નં. ૯ માં ભૂગર્ભ ગટરની કામગીરી માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના વોર્ડ નં.૯ માં ભૂગર્ભ ગટરની કામગીરી માટે બે માસ માટે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રાખવા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ પોતાને મળેલી સત્તા અને જોગવાઈ મુજબ જામનગર મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં. ૯, આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઇ પ્રણામી સંપ્રદાય બેઠક થઈ રતનબાઈ મસ્જિદ સર્કલ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૩-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ એટલે કે, બે માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આથી જાહેર નોટીસ પાડી છે. જેનો અમલ કરવાનો રહેશે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઇ પ્રણામી સંપ્રદાય બેઠક થઇ રતનબાઇ મસ્જીદ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે આણદાબાવા સેવા સંસ્થા થી પરષોતમ માર્ગ થઇ રણજીત રોડ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઇ પ્રણામી સંપ્રદાય બેઠક થઇ રતનબાઈ મસ્જીદ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ચાંદી બજાર સર્કલ થઇ રતનબાઈ મસ્જીદ સર્કલ થઇ રાજુબા સ્કુલ થઇ રણજીત રોડ તરફનો રરસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. તેમ કમિશનર (જામનગર મહાનગર પાલિકા)ની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh