Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખંભાળિયા બાયપાસથી પોદાર સ્કૂલનો રસ્તો વાહન વ્યવહાર માટે ત્રણ મહિના સુધી બંધ

ભૂગર્ભ ગટરની કામગીરી માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં ખંભાળિયા બાય પાસે હોદ્દા સ્કૂલ તરફનો માર્ગે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ રસ્તો વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધ રાખવા કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .

જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ આથી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવા આવી છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં જામનગર-જામખંભાળિયા બાયપાસ રોડથી પોદાર સ્કૂલ તરફ જતાં મેઇન રોડમાં ભુગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૨-૦૪-૨૦૨૫ થી તા.૨૧-૦૭-૨૦૨૫ એટલે કે, ત્રણ  માસ સુધી આ માર્ગે તમામ વાહન વ્યવહાર માટે બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે.

 જેનો અમલ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર જામ ખંભાળિયા બાયપાસ રોડથી પોદાર સ્કૂલ તરફ જતાં મેઇન રોડ તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે પાર્શ્વનાથ સોસાયટીની આંતરિક શેરીઓ તેમજ વિનાયક સિટી સોસાયટીની સામેની શેરીઓમાં થઈ આશીર્વાદ ક્લબ રિસોર્ટવાળા રોડ ઉપર થઈ ખંભાળિયા બાયપાસ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. તેમ કમિશનર (જામનગર મહાનગરપાલિકા)ની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh