Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગરના એક આસામીના નિધન પછી તેમના નાના પુત્રે મોટાભાઈ સમક્ષ પોતાના પિતાનું વીલ હોવાનંંુ જણાવી તમામ મિલકત પોતાની હોવાનું કહેતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે. અદાલતે મોટા પુત્રના દાવા પરથી સ્ટેટસ કવોનો આદેશ કર્યાે છે.
જામનગરના પૂર્વ નગર સેવક અને ખવાસ જ્ઞાતિના પ્રમુખપદે સેવા આપી ચૂકેલા રતીલાલ મૂળુભાઈ બારડના મોટા પુત્ર કમલ બારડે જામનગરની અદાલતમાં પોતાના પિતાના રજીસ્ટર્ડ થયેલા વીલની કાયદેસરતાને પડકારતો દાવો કરી દાદ માંગતા અદાલતે રૂકજાવનો આદેશ ફરમાવ્યો છે.
થોડા સમય પહેલાં કમલ બારડના પિતાનું અવસાન થયા પછી તેઓએ પિતાની મિલકતની વારસાઈ કરાવવા નાનાભાઈ મયુર સમક્ષ વાત કર્યા પછી ગલ્લાતલ્લા કરાતા કમલે પિતાની મિલકતોના દસ્તાવેજોની નકલ સરકારી કચેરીમાંથી મેળવી હતી અને મયુરને તેની વાત કરતા મયુરે પિતા પાસેથી વસીયતનામુ કરાવાયું છે, બધી મિલકત મારી છે તેમ કહેતા કમલે વસીયતનામાની માગણી કરી હતી તેની સામે દસ્તાવેજ કઢાવ્યા તેમ સરકારી કચેરી માંથી વીલ પણ કઢાવી લેજે તેમ જવાબ અપાતા કમલ બારડે વીલ મેળવ્યા પછી તેને અનજસ્ટ, અનફેર હોવાના મુદ્દા આગળ ધરી અદાલતમાં વીલની કાયદેસરતાને પડકારતો દાવો રજૂ કર્યાે છે. જેના પગલે અદાલતે કોર્ટ ટાઈમ પૂરો થયા પછી પણ કેસની ગંભીરતા ધ્યાને લઈ પ્રતિવાદી મયુર બારડને હાજર રહેવા એક દિવસની મહેતલ આપી હતી. વાદી તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial