Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહેતા બફારો યથાવત
જામનગર તા. ૨૨: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૪ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું. આકરા તાપ અને બફારાના બેવડા મારથી પ્રજાજનો પરસેવે રેબઝેબ થઈને ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સાચી પડી રહી છે. જામનગરમાં પણ પલટાયેલા હવામાનના પગલે વાદળોના આંટાફેરા જોવા મળી રહ્યાં છે.
જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રીના વધારા સાથે ૩૭ ડિગ્રી અને નહીંવત વધીને લઘુતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું.
તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે સવારથી જ વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી. અને બપોરે આકરો તાપ પડયો હતો. ગરમી સાથે બફારાનું પણ આક્રમણ થતા પ્રજાજનો બેહાલ થઈ ગયા હતાં. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય ઉકળાટથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં.
નગરમાં પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩૫ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. રાત્રિના સમયે ઠંડાપીણા, ગોલા, આઈસ્ક્રીમનો સહારો લેવા લારીઓ તથા દુકાનોમાં લોકોનો ધસારો વધારે જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial