Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંનેને દંડ પણ ભરવા અદાલતનો આદેશઃ
જામનગર તા. રરઃ જામનગરના બે આસામી સામે અનુક્રમે રૂ.૩ લાખ પપ હજાર અને રૂ.પ૦ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે બંને કેસમાં અદાલતે આરોપીઓને એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરમાં રહેતા જાડેજા ઈન્દ્રસિંહ ઉમેદસિંહ દ્વારા સંજય મધુભાઈ ઝીંઝુવાડીયાને સંબંધદાવે રૂ.૩,૫૫,૦૦૦ આપ્યા હતા તે રકમની પરત ચૂકવણી માટે સંજયભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ઈન્દ્રસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સંજય ઝીંઝુવાડીયાને એક વર્ષની કેદ સજા અને રૂ.૩ લાખ ૪૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પાસેથી રૂ.૫૦ હજાર તેમના મિત્ર જયપાલસિંહ રાઠોડે ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયપાલસિંહ રાઠોડને એક વર્ષની કેદ તથા રૂ.૫૦ હજાર દંડ પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદીઓ તરફથી વકીલ નિર્મળસિંહ જાડેજા, એલવી ગોહિલ, ઓમદેવસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial