Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિપ્ર યુવાને ૫૧મી વખત રક્તદાન કરી 'વાનપ્રસ્થ' પ્રવેશ કર્યો

યુવાનીમાં રક્તદાન, મૃત્યુબાદ ચક્ષુદાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: તાજેતરમાં પૂર્વ રાજ્યમંત્રી હરીદાસ જીવણલાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ "રક્તદાન શિબિર"માં નગરના વિપ્ર યુવાન વિજયભાઈ નટુભાઈ ત્રિવેદીએ એકાવનમી વખત રક્તદાન કરી અનોખુ ઉદાહરણ ૫ૂરૂ પાડયું છે. ૨૫ વર્ષથી તેઓ રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે અને જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરતા એકાવનમા વર્ષમાં પ્રવેશ સમયે જ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

૨૫ વર્ષ પહેલા દ્વારકામાં "સ્વામિનારાયણ મંદિર"નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૨-૧૨-૧૩ ફેબ્રુઆરી ૨૦૦૦ના યોજાયેલ હતો, ત્યારે એક સ્વયંસેવક તરીકે દ્વારકાધીશ પ્રભુના આશીર્વાદ સાથે પ્રથમવાર રક્તદાન કર્યા પછી તેમણે અનેક બ્લડબેંક સાથે જરૂરિયાત સમયે તુરંત હાજર થઈ રક્તદાન પ્રવૃત્તિને વળગી રહ્યા છે. જી.જી. હોસ્પિટલ સંલગ્ન બ્લડબેંંક, જામનગર વોલન્ટરી બ્લડબેંંક, જયસુખલાલ હાથી મેમો. બ્લડબેંંક તેમજ ગાર્ડી બ્લડબેંંકમાં સ્વૈચ્છિક રક્તદાન કરેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh