Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગર પાલિકા દ્વારા તા. ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે એન. વી. બી. ડી. સી. પી., દિલ્હી દ્વારા ચેક, ક્લીન, કવર. સ્ટેપ ટુ ડિફેટ ડેન્ગ્યુ * નામની થીમ આપવામાં આવી હતી. જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ * ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો * છે.
નેશનલ ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણીનાં ભાગરૂપે ડેન્ગ્યુ રોગનાં અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવી અતિઆવશ્યક હોય, જે હેતુથી નેશનલ ડેન્ગ્યુ દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવેછે. જેથી ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે જવાબદાર મચ્છર એડીસ ઈજીપ્તી વિષે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે હેતુ થી દરેક યુ.એચ.સી.માં તા. ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસની ઉજવણીનાં બેનરો દ્વારા દરેક યુ.એચ.સી. પર આવતા તમામ શહેરીજનોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવી શકાય તથા આ દિન વિશેષ માટે પત્રિકાઓ દ્વારા દરેક યુ.એચ.સી.એથી હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન લોકોનાં ઘરે ઘરે જઈ પત્રિકાઓનું વિતરણ થઇ શકે અને લોકોમાં ઘર બેઠા વાહકજન્ય રોગ અટકાયતી પગલાં વિષે માહિતગાર કરી શકાય.
શહેરમાં આવેલ યુ.એચ.સી. પર લઘુ શિબિર અને ગુરુ શિબિર જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરમાં આવેલા રણમલ તળાવના ગેટ નં.૧ પાસે પ્રદર્શનનું આયોજન તા.૧૬-૦૫-૨૫ના સાંજે ૬ વાગ્યા થી ૯ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ કમિશનર ડી.એ. ઝાલા દ્વારા પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી. હતી. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની દીવાલો પર ડેન્ગ્યુ રોગ અટકાયત અંગેના ભીતચિત્રો દ્વારા લોકોમાં રોગ અટકાયત અંગે સક્રિય ભાગીદારી હાંસલ કરવામાં આવી રહી છે. તથા દરેક યુ.એચ.સી. પર વાહકજન્ય રોગ અટકાયત અંગેના વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેર માં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ સર્વેની કામગીરી ચાલી રહેલ છે. જેમાં દૈનિક ધોરણે ૧૨૦૦૦ જેટલા ઘરોમાં સર્વે ૧૩ યુ.એચ.સી.ની ૧૪૦ જેટલી ટીમો દ્વારા કરવામાં આવી રહૃાો છે.
મચ્છરજન્ય રોગો જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા)એ મચ્છરનાં બચ્ચા છે. આમ, ૧૬ નેશનલ ડેન્ગ્યુ દિવસ ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવે છે કે જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો. મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
જેમાં ખાસ કરીને પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવી, પાણીના નાના ખાડા-ખાબોચિયાના પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો.
મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો. ચોમાસા પહેલા જ નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર પડેલો નકામા સામનાનો નિકાલ કરવો તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાવા ના દો. મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો. મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
દર રવિવારે સવારે ૧૦ કલાકે ૧૦ મિનિટનો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરનાં પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે ૧૦ મિનિટ ફાળવવાથી આપણા કુટુંબને ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાથી બચાવી શકાય છે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ-જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial