Advertisement
Author: નોબત સમાચાર

શહેર-પંથકમાં રોગચાળો ફાટી નીકળતાં સરકારી હોસ્પિટલમાં 'દર્દીઓનો મેળો' જેવી સ્થિતિ

ખંભાળીયા વિસ્તારમાં ચારે તરફ ગંદકી

ખંભાળીયા તા. ૪: ખંભાળીયામાં ૪૦ ઈંચ જેટલો વરસાદ થોડા સમયમાં પડતા ભરાયેલા પાણી, ગંદકીના કારણે રોગચાળો ફેલાતા સરકારી હોસ્પિટલોમાં દર્દીની ભીડ સાથે મેળાની સ્થિતિ થવા માંડી છે.

પુષ્કળ પ્રમાણમાં લોકોને તાવ, શરદી, ઉધરસ, કફ, પેટના દુખાવા સહિતના રોગોથી દર્દીઓની કતારો સાથે કેસ કઢાવવા તથા દવા બારીમાં લાઈનો સાથે તબીબો કામ કરી રહ્યા છે.

સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા હાલ સાફ સફાઈ રાખવા, વાસી ખોરાક નહીં ખાવા તથા ગંદા પાણીમાં દવા છંટકાવ કરવા અપીલ કરવામાં આવી હતી. દરરોજ ૮૦૦ થી ૯૦૦ ઓપીડી દર્દીઓની સરકારી હોસ્પિટલ જેની ક્ષમતા ૯૦ બેડની છે તે ઉભરાય ગયાની સ્થિતિમાં ફેરવાઈ ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh