Advertisement
Author: નોબત સમાચાર

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગે ૩૦ જવાબદાર અધિકારીઓને ફાંસીએ લટકાવી દીધાઃ હડકંપ

પૂરપ્રકોપ અટકાવવામાં નિષ્ફળ જવાની આકરી સજા

નવી દિલ્હી તા. ૪: ઉ. કોરિયામાં પૂરથી સેંકડોના મોત થતા સરમુખત્યાર કિમ જોંગે ૩૦ અધિકારીને ફાંસીના માચડે લટકાવી દેતા હડકંપ મચ્યો છે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સતત પોતાના સરમુખત્યારશાહ વલણના લીધે હંમેશાં વિવાદોમાં રહે છે. ઉત્તર કોરિયામાં નાની ભૂલની સજા પણ મોત છે. હાલમાં જ તેમણે દેશમાં પૂરની સ્થિતિ અટકાવવા માટે નિષ્ફળ રહેનાર ૩૦ સરકારી અધિકારીઓને ફાંસી આપી છે તેમજ વધુ અન્ય અધિકારીઓને પણ મોતની સજા ફટકારવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તર કોરિયામાં પૂરના લીધે અત્યાર સુધી ૧ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચાગાંગ પ્રાંતમાં ભારે વરસાદના લીધે ભૂસ્ખલનની ઘટનામાં પણ અનેક લોકો માર્યા ગયા છે. ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાની સરકારે પૂરની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના સોગંદ લીધા છે. જવાબદાર અધિકારીઓને આકરી સજા આપવામાં આવશે.

ગત્ મહિને પૂર પ્રભાવિત ક્ષેત્રમાં ર૦ થી ૩૦ અધિકારીઓને એક સાથે મોતની સજા આપવામાં આવી હતી. કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની હદ નજીક ચાગાંગ પ્રાંતમાં આવેલ વિનાશકારી પૂર પછી અધિકારીઓને આકરી સજા આપવાનો આદેશ આપ્યો હતો. સિનુઈજુમાં આયોજિત એક ઈમરજન્સી બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના અધિકારીઓને ઈમરજન્સી દરમિયાન જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ પણ સજા ફટકારવાનો આદેશ આપ્યો છે.

જુલાઈમાં ઉત્તર-પશ્ચિક પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો બેઘર બન્યા હતાં, અનેક લોકોના મોત થયા હતાં. દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર પૂરના લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧ હજારથી વધી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh