Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આરાધના સોસાયટીના રહેણાંક મકાનમાં ખાતરઃ રૂ. ૧૧ લાખ રોકડાની ચોરી

પેટ્રોલપંપ સંચાલક પરિવાર બહારગામ ગયો હતોઃ

જામનગર તા. ૪: જામનગરના આરાધના સોસાયટી વિસ્તારમાં મકાન ધરાવતા પેટ્રોલપંપ સંચાલકનો પરિવાર સાતમ-આઠમના તહેવારમાં ફરવા માટે મહારાષ્ટ્ર ગયા પછી પાંચ દિવસ બંધ પડેલા તેમના મકાનમાંથી રૂ. ૧૧ લાખની રોકડ ચોરાઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. તે વિસ્તારમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

જામનગરમાં ગુરૂદત્તાત્રેય મંદિરથી સરૂ સેક્શન રોડ તરફ જવાના રસ્તા પર વી માર્ટ નજીક આવેલી આરાધના સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા નામના આસામી જન્માષ્ટમીના તહેવારોમાં પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે ફરવા માટે ગયા હતા.

આ પરિવાર મહારાષ્ટ્રથી ગઈ તા.૩૧ની રાત્રે જામનગર પહોંચ્યા પછી ઘેર આવ્યો ત્યારે તેઓએ પોતાના મકાનમાં સામાન વેરણછેરણ જોયો હતો. રમેશભાઈએ ઉચ્ચક શ્વાસે મકાનમાં તપાસ કરતા તેમના કબાટનો દરવાજો ખૂલો જોવા મળ્યો હતો અને તેમાંથી રૂ. ૧૧ લાખની રોકડ ચોરાઈ ગયેલી જણાઈ આવી હતી.

ઉપરોક્ત બનાવ અંગે પોલીસને જાણ કર્યા પછી ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી હનુમાન ગેઈટ પોલીસચોકીના પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે તસ્કરોના સગડ દબાવ્યા છે. ઉપરોક્ત ચોરી સોમવારની સવારના પાંચ વાગ્યાથી શનિવારની રાત્રિના અગિયાર વાગ્યા દરમિયાન થઈ છે. પોલીસે તે વિસ્તારમાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા સહિતની કામગીરી આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh