Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનમાં રવિવારે થયેલા ઝઘડા અંગે સામા પક્ષે પણ નોંધાવી વળતી રાવ

પોલીસ કેસ પાછો ખેંચી લેવાનું કહી કરાયો હલ્લોઃ

જામનગર તા. ૪: જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારે રાત્રે કાકા-ભત્રીજા પર હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરાયા પછી સામા પક્ષે પણ ત્રણ સામે હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જ્યારે અગાઉનો પોલીસ કેસ પાછો ખેંચી લેવાનું કહી વાઘેરવાડામાં ચાર શખ્સે તલવાર-ધોકાથી હુમલો કરી યુવાનને માર મારવામાં આવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારની રાત્રે ધમધમી રહેલા લોકમેળામાં મારામારી થઈ હતી. જેની જાગૃતિનગરમાં રહેતા નવીન પરમારે ફરિયાદ નોંધાવી હતી. નવીન તથા તેના કાકા પર ચાર અજાણ્યા શખ્સે કતરાઈને જોવાના મુદ્દે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

તે ફરિયાદની સામે સ્વામી નારાયણનગરની શેરી નં.૪માં રહેતા રાહુલ વિનોદભાઈ જેઠવાએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યા મુજબ રવિવારે રાત્રે પ્રદર્શન મેદાનમાં નવીન ભોલા પરમાર, પ્રકાશ ઠાકર પરમાર, મુકેશ કાંતિભાઈ કોળી નામના ત્રણ શખ્સે કતરાઈને જોવાની બાબતે બોલાચાલી કરી ગાળો ભાંંડ્યા પછી ઢીકાપાટુ તથા લાકડીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જામનગરના વાઘેરવાડામાં રહેતા અને ગેરેજ ચલાવતા અખ્તર ઈકબાલ સચડા અને મિત્ર હૈદર, સલીમ, જાવિદ ગઈ તા.૨૧ની રાત્રે વાઘેરવાડામાં હતા ત્યારે અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી ઝુબેર ભાયા, શાબીર ગંઢાર, મૂર્તુઝા ભાયા, જાવિદ ગજીયા ઉર્ફે મચ્છર નામના ચાર શખ્સે તલવાર, ધોકા સાથે હુમલો કરી માર મારવા ઉપરાંત અગાઉ કરેલો પોલીસ કેસ પાછો ખેંચી લેવાનું કહી પતાવી દેવાની ધમકી આપી હતી. અખ્તર સચડા ઉર્ફે અકુએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh