Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા
જામનગર તા. ૪: ગુજરાત રાજ્યના પહેલાં ભરતી થયેલા કર્મચારીઓનો જુની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના પડતર પ્રશ્ને હવે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અર્થાત તા. ૧૭-૦૯-૨૪ના પહેલાં પરિપત્ર જારી કરવાની રજુઆત કરી છે. જો રાજ્ય સરકાર તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરે તો રાજ્યમાં તા. ૧૭-૦૯-૨૪ થી તબક્કાવાર આંદોલન શરૂ કરવાની ચિમકી આપવામાં આવી છે.
સંઘના આંદોલનમાં જણાવ્યા પ્રમાણે સરકારની પાંચ મંંત્રીની કમિટીએ તા. ૧૬-૦૯-૨૨ના ચર્ચા કરી તા. ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં ભરતી થયેલા તમામ કર્મચારીઓનો જુની પેન્શન યોજનામાં સમાવેશ કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી. આ બાબતે બે વર્ષનો સમય વીતી જવા છતાં સરકારે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. કર્મચારીઓના સંગઠનો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. જેથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે તા. ૧૭-૦૯-૨૪ થી આંદોલનની જાહેરાત કરી છે.
જેમાં તા. ૧૭-૦૯ના તમામ શિક્ષકો ઓપીએસનો લોગો ધારણ કરી ફરજ બજાવશે. તે દિવસે તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે.
તા. ૬,૧૩,૨૦ અને ૨૭ ઓક્ટોબરે (દર રવિવારે) ઝોનવાઈસ રાજ્યના તમામ જિલ્લાના શિક્ષકો ગાંધીનગરમાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણીમાં ધરણાં કરશે. જેમાં તા. ૨૭-૦૯ના સૌરાષ્ટ્ર-ઉત્તર ઝોન અંતર્ગત જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકો ધરણાંમાં જોડાશે.
આ આંદોલનમાં જોડાવા તમામ શિક્ષકોને સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલે અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial