Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં માછીમારને હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૪: ઓખાના દરિયામાં ગઈકાલે માછીમારી કરી રહેલી એક બોટમાં રહેલા માછીમારનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે ખંભાળિયાના દાતા નજીક નદીના પટમાં રમી રહેલો બાળક પાણીના ખાડામાં પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયો છે.
ઓખાથી ગઈકાલે સવારે શ્રીદત્ત નામની માછીમારી બોટ દરિયામાં રવાના થઈ હતી. તે બોટ દસેક નોટિકલ માઈલ દૂર દરિયામાં હતી ત્યારે તેમાં રહેલા માછીમાર મૂળ ગિર સોમનાથ જિલ્લાના વતની અશ્વિન માનસિંગ સોસા (ઉ.વ.૩૫)ને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં રહેતા રાયશીભાઈ માલદેભાઈ વાઘેલા (ઉ.વ.૧૩) નામના બાળક ગઈકાલે સાંજે દાતા ગામ પાસે આવેલી નદીના પટમાં રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ખાબકી ગયા હતા. આ બાળકનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું છે. રામશી માલદેભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial