Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા
જામનગરમાં વરસાદ પડેલા અને વરસાદ પછી અનેક રોડ રસ્તાની હાલત ઊંટની પીઠ જેવી થઈ જવા પામી છે. લોકોના વિરોધ અને નારાજગી પછી મહાનગરપાલિકાએ આવા તુટેલા રોડ પર થિંગડા મારવાનો પ્રયાસ હાથ ધરેલો છે. શહેરના પોશ વિસ્તાર વોર્ડ નં. પ નો ડીકેવી સર્કલથી સરૂ સેકશન રોડ કે જે બે વર્ષ પહેલા જ નવો બનેલો તે ગત વરસાદમાં જ બિસ્માર થઈ ગયેલ જે તે સમયે થિગડા મારી આ રોડને વાહનો ચલાવવા લાયક બનાવેલ જે ફરી આ વરસે શહેરના સૌથી વધુ બિસ્માર રોડની ઉપમા પામેલો છે. આ મેઈન રોડ પર મંગળવારની રાત્રે થિગડા મારવામાં આવેલ જે ઉપરોકત તસ્વીરમાં જોઈ શકાય છે ૩૦ ટકા રોડ પર જ આ કામગીરી થયેલ છે અને તેની ગુણવતા કલાકોમાં જ નજરે પડી રહી છે. મોટા ભાગના થિગડા થુંકના સાંધા સાબિત થઈ રહ્યા છે... એક તરફ રોડના કામ નબળી ગુણવતાના થયા હોય તે અંગે કોઈ પગલા લેવાયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial