Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહાપ્રભુજી બેઠક અને પવનચક્કી 'એ' ઝોન વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ

લીકેજ તથા ફોલ્ટ રિપેરીંગ માટેનું કામ હાથ ધરાતા

જામનગર તા. ૧૯ઃ જામનગરના મહાપ્રભુજી બેઠક ઈ.એસ.આર. તથા પવનચક્કી ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજે આ બન્ને ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જે વિસ્તારમાં આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે.

મહાપ્રભુજી બેઠકની બેઠક ઈ.એસ.આર. મુખ્ય પાઈપલાઈન લીકેજ થયેલા હોવાથી તેનું સમારકામ આજે હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ઊંડ-૧ ડેમની પમ્પીંગ મશીનરીમાં ફોલ્ટ થયો હોવાથી ત્યાં પણ રિપેરીંગ કામગીરી ચાલી રહી છે. જેથી ઊંડ-૧ ડેમથી આવતા પાણીના જથ્થામાં વિલંબ ઊભો થયો છે.

આથી પવનક્કી ઝોનમાં પણ તા. ૧૯ ના પાણી પુરવઠો બંધ રહેવા પામશે. જેના કારણે મહાપ્રભુજી બેઠક ઝોન હેઠળના સંસ્કાર ધામ, શાંતિવન, શીતવન, શિતલવન, મહાપ્રભુજી બેઠક વિસ્તાર, ખોડિયારનગર, શ્યામ ગ્રીન્સ, એવરેસ્ટ સોસાયટી, ગ્રીન પાર્ક, સિલ્વર સોસાયટી, બુરહાની, ગરીબ નવાઝ ૧-ર, તારમામદ સોસાયટી, બાલનાથ સોસાયટી, મોરકંડા રોડ, સેટેલાઈટ પાર્ક, સનસિટી ૧ અને ર, રબ્બાની પાર્ક, મહારાજા સોસાયટી, નુરી પાર્ક વગેરે વિસ્તારો તથા પવનચક્કી ઝોન-બે હેઠળના વસંત વાટિકા, નાનકપુરી, હર્ષદમીલની ચાલી, મહાવીરનગર, બાઈની વાડી, જડેશ્વર પાર્ક, પટેલનગર, ચૂનાનો ભઠ્ઠો, ક્રિષ્ના પાર્ક, રાવલવાસ, ગણેશવાસ, ગોદડિયા વાસ વગેરે વિસ્તારોમાં આજે તા. ૧૯ ના પાણી વિતરણ બંધ રહેશે.

આ વિસ્તારને આવતીકાલે તા. ર૦ ના પાણી વિતરણ થશે અને એ પછીના દિવસે ઝોન 'બી'માં પાણી વિતરણ કરવામાં આવશે. તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh