Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરત તા. ૧૯ઃ સરથાણામાં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે. ર૦૧૭ માં સરથાણામાં હાર્દિક સામે ગુન્હો નોંધાયો હતો.
અગાઉ જામનગર કોર્ટે પણ ધુતારપર કેસમાં તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જેમાં રૃપિયા ૧પ હજારના જામીન ભરવામાં આવ્યા છે તેમજ જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે. ર૦૧૭ માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો.
ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત થઈ છે, કારણ કે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી. જેમાં ર૦૧૭ માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો. અગાઉ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતાં. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો.
જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર ર૦૧૭ માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં. ધુતારપુર સભામાં વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરૃદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ૪ નવેમ્બર ર૦૧૭ માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ધાડિયાએ જામનગરના ધુતારપર-ધુળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારપછી જામનગરના પંચકોશી 'એ' ડિવિઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેઓ નિર્દોષ ઠર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial