Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે
ખંભાળીયા તા. ૧૯ઃ આગામી બાવીસમી જાન્યુઆરીના અયોધ્યા શ્રીરામ મંદિર ખુલ્લુ મૂકાઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશ તેની ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યો છે જેમાં ખંભાળીયા શહેર તથા તાલુકાના વેપારીઓ પણ આ દિવસે બંધ પાડીને ઉજવણીમાં જોડાવા નિર્ણય કર્યો છે.
ખંભાળીયાના વિવિધ વેપારી મંડળો તથા એસોસિએસન દ્વારા આ દિવસે સ્વૈચ્છિક બંધ જાહેર કરી રામ ઉત્સવમાં જોડાવા અપીલ કરવામાં આવી છે જેને વેપારીઓ દ્વારા સમર્થન અપાયું છે.
ખંભાળીયા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ જોગલ દ્વારા જણાવાયું છે કે ખંભાળીયા યાર્ડના વેપારી ભાઈઓ તથા એજન્ટ મંડળની આ દિવસે બંધની આવેલી રજુઆતો પરથી તા.રર-૧ ના હરાજીનું કામ યાર્ડમાં બંધ રાખવામાં આવશે.
ખંભાળીયા ઓઈલ મીલર્સ તથા સીંગદાણા ફ્રેકટરી એસો.ના પરબતભાઈ બેલાએ જણાવ્યું છે કે રામલલ્લાના આ ઉત્સવમાં સીંગદાળા મીલોના વેપારીઓ જોડાઈને તે દિવસે ગાડી અન લોડીંગ લોડીંગ ના કરવા તથા સંેપલના કામકાજ બંધ રાખીને રામલલ્લાના ભવ્ય ઉત્સવમાં સહભાગી થઈને દીવાળીની જેમ આ મહાપર્વ ઉજવવા જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial