Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને અમરેલી બેઠકના પ્રભારી બનાવાયા

ભાજપ દ્વારા જામનગરની લોકસભા બેઠક માટે પણ પ્રભારી-સંયોજક નિમાયાઃ

જામનગર તા. ૧૯ઃ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. બે જિલ્લાના પ્રભારી સંયોજકની નિમણૂકો કરી દેવામાં આવી છે.

ગુજ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ ર૪ લોકસભા સીટના પ્રભારી તથા સંયોજકની નિમણૂકો કરવામાં આવી છે.

જામનગર લોકસભાની બેઠક માટે પ્રભારી તરીકે વેલજીભાઈ મસાણી (રાષ્ટ્રીય ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચા) અને સંયોજક તરીકે વિનોદ ભંડેરી (પૂર્વ જિલ્લા મહામંત્રી જામનગર) ની તેમજ જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh