Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિષેક વિધિ રર જાન્યુઆરીના બપોરે ૧રઃર૦ વાગ્યે શરૃ થશેઃ
અયોધ્યા તા. ૧૯ઃ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. હાલમાં ભગવાનની આંખે પાટા બાંધેલ છે. રર મી જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ આંખોની પટ્ટી હટાવી દેવામાં આવશે. ર૩ જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ મંદિરના દર્શન કરી શકશે. આ પહેલા ગુરૃવારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ લલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રામલલાની મૂર્તિને પગથિયા પર સ્થાપિત્ કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણાં સંતો પણ હાજર હતાં.
રામ લલાની આ પ૧ ઈંચની પ્રતિમા મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર અરૃણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
અરૃણ દીક્ષિતે કહ્યું કે, ગુરૃવારે અન્ય ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. બ્રાહ્મણોને વસ્ત્રો આપવામાં આવ્યા અને તમામને કામ સોંપવામાં આવ્યું વીએચપીના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલે જણાવ્યું કે, રર જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સુધી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. તે દિવસે ભગવાન ગર્ભગૃહમાં તેમનું સ્થાન લેશે. તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ અને મંદિરને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે. અગાઉ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે અભિષેક વિધિ રર જાન્યુઆરીએ બપોરે ૧ર.ર૦ વાગ્યે શરૃ થશે. અને બપોરે ૧ વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial