Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજી ગેસ્ટહાઉસને અપાયું હતું પુરવણી બીલઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસને વીજચોરી અંગે બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ રદ્દ કરાવવા દાવો કરાયો હતો. તે દાવો અદાલતે નામંજૂર કર્યાે છે.
જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં સર્વિસ વાયર બળી જવાના કારણે વાયર બદલવા માટે સંચાલક સુનિલ ઘાડીયા દ્વારા વીજ કંપનીને અરજી આપવામાં આવી હતી. તેના અનુસંધાને વાયર બદલવા આવેલા અધિકારીઓએ મીટર ચકાસતા તેમાં ચેડાં જણાઈ આવ્યા હતા. તેથી મીટર કબજે કરી તેનું લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવાયું હતું.
ટેસ્ટીંગમાં વીજચોરી જણાઈ આવતા ગેસ્ટ હાઉસને રૃા.૩,૬૩,૩૩૪નું બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ સામે વાંધો લેવાયો હતો પરંતુ તેને સ્વીકારવામાં ન આવતા કલમ ૧૨૭ હેઠળ અપીલ કરવા જણાવાયું હતું. ગ્રાહકે તે બીલ રદ્દ કરાવવા અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવામાં મૂળ માલિક હાજર થયા ન હતા. તે દાવો નામંજૂર કરવાનો અદાલતે હુકમ કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ જે.જે. પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial