Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ દ્વારા અટલજીને શ્રદ્ધાંજલિ
ખંભાળીયા તા. ર૬: રપમી ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મ દિનનો જન્મદિન હોય, દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
સૌ જોધપુર ગેઈટ પાસે મહાત્માગાંધીની પ્રતિમાની સફાઈ તથા નજીકના વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરાયું હતું જેમાં ભાજપ શહેર પ્રમુખ મિલનભાઈ કિરન સાતા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, મહામંત્રીઓ મુકેશ કાનાણી, હસુભાઈ ધોળકીયા, અગ્રણીઓ કિરીટભાઈ ખેતિયા, ભીખુભા જેઠવા, અશોકભાઈ કાનાણી, પાર્થભાઈ, સુરેશભાઈ વિગેરે જોડાયા હતાં.
આ પછી જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં અટલજીની છબીને પુષ્પાંજલિૃ તથા તેમના જીવન પ્રસંગોને યાદ કરીને સુશાસન દિવસની ઉજવણી કરી હતી. જેમાં અગ્રણીઓ એભાભાઈ કરમુર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલભાઈ ચાવડા, કારોબારી ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, મિલનભાઈ કિરતસાતા, અનિલભાઈ તન્ના, હસુભાઈ ધોળકીયા, અશોકભાઈ કાનાણી જોડાયા હતાં.
દ્વારકા જિલ્લા સેવાસદનમાં પણ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ કાર્યક્રમ યોજાયો હતો, તથા વિડીયો કોન્ફરન્સથી સમગ્ર રાજ્યમાં જિલ્લાના અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial