Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવૃત્ત આર્મીમેને પોલીસમાં કરી છે ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક એક્સ આર્મીમેને ગયા મહિને રૂ।.૩૫ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત કરાયાની પોલીસમાં એક શખ્સ સામે ફરિયાદ કરી હતી. આરોપીએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરતા અદાલતે તેને આગોતરા જામીન આપ્યા છે.
જામનગરમાં રહેતા નિવૃત્ત આર્મીમેન અશોકભાઈ કૃષ્ણભાઈ સોલંકી પાસેથી તેમના પરિચયમાં રહેલા પ્રવીણસિંહ ભાયશાબભા જાડેજાએ ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરી દર મહિને રૂ।.૩૦ હજાર લેખે રૂ।.૩પ લાખ મેળવ્યા પછી બહાના બતાવી પાછળથી ભાગીદારીમાં ધંધો નથી કરવો તેમ કહી દેતા અશોકભાઈએ પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરવા અંગે પ્રવીણસિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હામાં પોતાને ખોટી રીતે સંડોવી દેવાયા છે. તેમ જણાવી પ્રવીણસિંહ જાડેજાએ આગોતરા જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા અદાલતે તેઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, પી.વાય. જસાણી, એચ.પી. ઝાલા, કેયુર અજુડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial