Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આર્ટિસ્ટ ઉષા શાહનું ઉદયપુરમાં સોલો એક્ઝિબિશન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના જાણીતા ચિત્રકાર ઉષા શાહના સોલો પેઈન્ટિંગ એક્ઝિબિશન 'પેટલ્સ ઈન મોશન'નું રાજસ્થાનના ઉદયપુરમાં ગણગૌર ઘાટ પર 'બાગૌર કી હવેલી'માં આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ-દિવસીય પેઈન્ટિંગ એક્ઝિબિશનનું લોકાર્પણ પ્રસિદ્ધ વોટર કલર આર્ટિસ્ટ અનુરાગ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે અતિથિ વિશેષ તરીકે ડિજીટલ આર્ટિસ્ટ સંદીપ ભાગ્યોદય પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉષા શાહ વર્ષોથી કલા ક્ષેત્રે સમર્પિત છે તથા તેમના પતિ આનંદભાઈ શાહ પણ ખ્યાતનામ ચિત્રકાર છે. ઉષા શાહના સોલો એક્ઝિબિશનને સ્થાનિક મુલાકાતીઓ તથા ઉદયપુરના હજારો પ્રવાસીઓની પ્રશંસા મળતા કલાક્ષેત્રે નગરની ખ્યાતિ વિસ્તરતા નગરના ગૌરવામાં વધારો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh