Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તા. ૨૪ ડિસેમ્બરના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠીયા દ્વારા જાગો ગ્રાહક જાગો તેમજ ગ્રાહકના અધિકારો અને હક્ક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તથા તમામ ખરીદી ઓનલાઈન નહીં પરંતુ સ્થાનિક વેપારીઓ પાસે કરવા અનુરોધ કરાયો હતો. મંડળના કો.ઓર્ડિનેટર કાંંતિલાલ મકવાણાએ ચીજ વસ્તુની ખરીદી સમયે પાકુ બિલ લેવું જોઈએ, જેથી માલમાં ખામી જણાય તો વળતર મેળવી શકાય. આ સમયે મંડળના સભ્યોએ પત્રિકા વિતરણ કર્યું હતું. આ પહેલા મંડળના પ્રમુખ નિલ મજીઠીયા અને અન્યોનું ડો. ગીરધરલાલ એન્ડ કંપનીવાળા સંજીવભાઈ પ્રેમાણીએ સન્માન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh