Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપૂત સમાજનું ગૌરવ
જામનગર તા. ૧પઃ ધો. ૧૦ ની પરીક્ષામાં સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલની વિદ્યાર્થિની કુ. જાનકીકુંવર હિતેન્દ્રસિંહજી સોલંકીએ ૯૯.૭૩ પીઆર (૯૬.૩૩ ટકા) સાથે ઉત્તીર્ણ કરી સોલંકી પરિવાર, રાજપૂત સમાજ તથા સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. જાનકીકુંવર (જીયા) એ સોશિયલ સાયન્સ તથા સાયન્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.
પરીક્ષા પૂર્વે યોજાયેલા સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના વાર્ષિકોત્સવના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જાનકીકુંવરે સુંદર રીતે કરતા શાળાના પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના વતની જીયા સોલંકી નાનપણથી જામનગરમાં ઘનશ્યામસિંહ રાઠોડના પરિવાર સાથે રહીને જામનગરમાં અભ્યાસ કરી રહી છે. ધો. ૧ર મા કોમર્સ વિષય સાથે ઉચ્ચ ગુણાંકો મેળવી વિદેશમાં ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવાની મહેચ્છા જીયાએ વ્યક્ત કરી છે. જીયાને સોલંકી પરિવાર તેમજ રાઠોડ પરિવારે અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial