Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

શોપિયામાં ત્રણ આતંકવાદીઓને ફૂંકયા પછી સેનાને બીજી મોટી સફળતા

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ૧૫: કાશ્મીરમાં ૪૮ કલાકમાં સેનાનું બીજં મોટું ઓપરેશન સફળ રહ્યું છે. જેમાં જૈશના ૩ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળ્યા પછી આ એનકાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહૃાું છે. પુલવામામાં ૪૮ કલાકમાં આ બીજું એનકાઉન્ટર છે. આ પહેલાં મંગળવારે (૧૩ મે) શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને સુરક્ષાદળોએ જિનપથેર કેલર વિસ્તારમાં ઘેરી લીધા હતા. આ ઓપરેશનને 'ઓપરેશન કેલર' નામ આપવામાં આવ્યું હતું.

સૈન્ય દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ શાહીદ કુટ્ટે હતું, જે શોપિયાંનો રહેવાસી હતો. તે આઠ માર્ચ, ૨૦૨૩માં આતંકી સંગઠન લશ્કરમાં સામેલ થયો હતો. વળી, બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ હતી, જે વંડુના મેલહોરા, શોપિયાંનો રહેવાસી હતો. તે ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪માં આતંકી સંગઠન લશ્કરમાં સામેલ થયો હતો.

આતંકવાદીની જાણકારી આપનારને ૨૦ લાખનું ઈનામ

પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર શોપિયાંના અનેક વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓની સૂચના આપનારાને ૨૦ લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સેનાએ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગાર પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh