Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાલિકા દ્વારા થતા રોડ-રસ્તા-કન્સ્ટ્રક્શનના તકલાદી કામોની એસીબી તપાસ કરાવોઃ કોંગ્રેસ

ગેરંટી પિરિયડ પહેલા જ તૂટી-ફૂટી જતા આંતરિક માર્ગોની રાવ 'આપ' દ્વારા પણ થઈ હતી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા નગરપાલિકા દ્વારા થતા રોડ-રસ્તા તથા બાંધકામો અંગે યોગ્ય તપાસની કોંગ્રેસે માંગણી કરી છે.

ખંભાળિયા શહેર જિલ્લામાં પાલિકા દ્વારા થતા રોડ-રસ્તા તથા બાંધકામોના કામો અંગે યોગ્ય તપાસની માંગ કરી કોઈ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ પંચ નીમી પગલાંની માંગ સાથે જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે આવેદનપત્ર આપતા ભારે ચર્ચા જાગી છે.

શહેર મહામંત્રી શ્રી ત્રિવેદીએ આ બાબતે જણાવેલ કે સામાજિક આગેવાનો દ્વારા તથા અગ્રણીઓ દ્વારા રોડ-રસ્તાના કામો નબળા બનતા હોવાની વારંવાર રજૂઆતો-ફરિયાદો છતાં પણ કંઈ ના થતું હોય કે નબળું કરનારા સામે કડક પગલાં ના લેવાતા હોય, પ્રજાના પૈસા બગડતા હોય, જે કામો થયા છે અને જે થાય છે તે નિયમ પ્રમાણે યોગ્ય રીતે થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. તમામ કામો બાબતે કઈ રીતે થવાના છે તેની ગાઈડલાઈન દેખાડવામાં આવે તથા કામો નબળા જ થાય છે જેથી ભ્રષ્ટાચારની આશંકા હોય, જરૂર પડ્યે એ.સી.બી.ની તપાસની પણ માંગ કરવામાં આવી છે.

શહેરના કેટલાયે રસ્તાઓ ત્રણ વર્ષના ગેરેન્ટી પિરિયડ પહેલા તૂટી ગયા છે, તો કેટલાયે સી.સી. રોડ પગ અડાડો તો ઉખડવા માંડે તેવા થયાની ફરિયાદ સાથે તાજેતરમાં આપ પક્ષ દ્વારા પણ આવેદન પત્ર અપાયેલું તે પછી હવે કોંગ્રેસ પણ મેદાને પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh