Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમરજન્સી દરવાજો ન ખુલ્યોઃ ઘાયલો હોસ્પિટલમાં:
લખનૌ તા. ૧પઃ દિલ્હીથી બિહાર જતી એક સ્લીપર બસમાં આગ લાગતા બે બાળકો સહિત પાંચ મુસાફરો ભડથું થઈ ગયા છે, જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાનું જાણવા મળે છે.
ઉત્તરપ્રદેશના લખનૌમાં કિસાન પથ પર ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક બસમાં અચાનક આગ લાગતા તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતા અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ ૮૦ લોકો સવાર હતાં.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે વહેલી સવારે પાંચ વાગ્યે મોહનલાલગંજ નજીક કિસાન પથ પર એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળતા જ પોલીસ, ફાયરબ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગતા ઈમરજન્સી ગેટ લોક થઈ ગયો હતો. જેના લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતાં. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતા આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટનામાં બે બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.
બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાના સાત ગેસ સિલિન્ડર હતાં, જો કે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગતા જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતાં. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતે મહા મહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા બસમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. પછી આગની જવાળાઓમાં બસ લપેટાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial