Advertisement
Author: નોબત સમાચાર

માથાના દુખાવાથી કંટાળી જઈ પરિણીતાએ ઝેરી ટીકડા ગળ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ કલ્યાણપુરના પ્રેમસર ટંકારીયા ગામના એક પરિણીતાએ માથાના દુખાવાથી કંટાળી જઈને ઝેરી ટીકડા ગળી લઈ આત્મહત્યા કરી લીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ટંકારીયા ગામમાં વસવાટ કરતા મણીબેન ભરતભાઈ કાગડીયા (ઉ.વ.ર૭) નામના પરિણીતાને થોડા દિવસોથી માથું દુખતું હતું.

તેનાથી કંટાળી ગયેલા આ પરિણીતાએ મંગળવારે સવારે પોતાના ઘરમાં ઝેરી ટીકડા ગળી લીધા હતા તેની જાણ થતાં મણીબેનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ પરિણીતાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ ભરત જીવાભાઈ કાગડીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh