Advertisement
Author: નોબત સમાચાર

ચાવડા ગામમાં આવેલી ખેતીની જમીન અંગેના દાવામાં અદાલત દ્વારા આદેશ

કલેક્ટર તથા નાયબ મામલતદારને હાજર થવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ચાવડા ગામમાં એક રેલવે પોલીસ કર્મચારીએ ખરીદેલી જમીન અંગે અરજી આપી તેઓને ત્યાં ખેતીકામ કરતા અટકાવાતા અદાલત સમક્ષ દાવો કરાયો છે. જેમાં અદાલતે કલેક્ટર તથા નાયબ મામલતદારને હાજર થવા આદેશ કર્યાે છે.

જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના રહેવાસી અને રેલવે પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજા એ ચાવડા ગામમાં રે.સ.નં. ૫૦૧ વાળી જગ્યા ખરીદવા અવેજ ચૂકવ્યા પછી દસ્તાવેજ બનાવડાવ્યો હતો.

ત્યારપછી સ્થળ પર રોજ કામ માટે આવેલી નાયબ મામલતદાર (દબાણ શાખા) સ્ટાફે ખેતીકામ અટકાવવાની સૂચના આપી હતી અને તમે દબાણ કર્યું છે તેમ જણાવતા પ્રદીપસિંહે અદાલતનો આશરો લીધો હતો. કલેેકટર સમક્ષ દબાણ શાખાના મામલતદાર તથા અરજી કરનાર બળુભા જાડેજા સામે કાયમી મનાઈહુકમ મેળવવા દાવો દાખલ કરવાની કાર્યવાહી કરાતા કાયદા મુજબ સરકારને આપવાની સીપીસી કલમ ૮૦ની નોટીસ અંગે વાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી તેને વેઈવ કરી જામનગર કલેકટર તથા નાયબ મામલતદારને હાજર થવા હુકમ કરાયો છે. વાદી તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, રઘુવીરસિંહ જાડેજા, ભરત વસરા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh