Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે તંત્ર અને મહાનગરપાલિકા વચ્ચેની ખેંચતાણ કારણભૂત?
જામનગર તા. ર૩: જામનગરમાં રેલવે દ્વારા ચાલતા ડબલ ટ્રેકના કામમાં પુલિયુ (ગરનાળુ) બંધ કરવાની તૈયારી કરતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આ બાબતની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટરો અને રેલવેના અધિકારીઓ દોડી ગયા હતાં. હાલ તો મામલો રાજકોટ સ્થિત રેલવેના ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહે છે.
જામનગર-કાનાલૂસ રેલવે માર્ગે ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. ત્યાં સાંઢિયા પુલ નજીક મહાલક્ષ્મી બંગલો, પ્રણામી ટાઉનશીપ પ ના રહેવાસીઓ દ્વારા ગઈકાલે ભારે હોબાળો મચાવ્યો હતો અને રસ્તો બંધ નહીં કરવાની માગણી કરી હતી. આખરે સ્થાનિક કોર્પોરેટર અને રેલવેના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતાં અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યાં ગરનાળુ છે જેમાંથી વરસાદી પાણીના નિકાલ માટેનો રસ્તો છે. જેનું કામ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરાયું છે.
બીજી તરફ મહાનગર પાલિકાના અધિકારી એમ કહે છે કે, ત્યાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ છે. માટે હંગામી ધોરણે લોકોના અવર-જવર માટેનો રસ્તો બંધ કરાયો છે, પરંતુ કામ પૂર્ણ થયા પછી અહીંથી એક નાનકડો કેડી જેવો માર્ગ બનાવી દેવાશે જેથી લોકો સહેલાઈથી અવરજવર કરી શકે.
જો કે, રેલવે પોતાની જગ્યામાંથી લોકોને અવરજવર માટે ના પાડે છે. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ મહાનગર પાલિકા તરફથી લેખિત રજૂઆત મળે તો તે પછી રેલવેના ઉપરી અધિકારીઓ તે બાબતે નિર્ણય લેશે, કારણ કે લોકોની સુરક્ષા બાબતે વિચારણા પણ કરવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial