Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીમલીયા ગામમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૨૩: જામનગરના ખીજલીયા ગામમાં ઉઘરાણી કરવા ગયેલા એક યુવાન પર મહિલા સહિત ત્રણે પાવડાથી હુમલો કર્યાે હતો. જેલહવાલે થયેલા આરોપીમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા અને એક આરોપી હાઈકોર્ટમાંથી જામીન મુક્ત થયા છે તેવી દલીલ સાથે અરજી કરી હતી. અદાલતે તે અરજી નકારી છે.
જામનગરના ફીરોઝ અલારખા નામના એક આસામી ખીમલીયા ગામમાં અનવર તથા અલારખા આસાણી પાસે બાકી રહેલા રૂ.૨૦ હજાર લેવા ગયા ત્યારે અનવર તથા અલારખાએ પાવડાથી હુમલો કર્યાે હતો. આ વેળાએ ફીરોઝે દોટ મૂકતા તેને અફસાનાબેને પકડી લીધો હતો અને તે પછી હાથ-પગ બાંધી ત્રણેય વ્યક્તિએ ફીરોઝને માર માર્યાે હતો.
આ બાબતની પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાતા અનવર તેમજ અલારખા, અફસાના અલારખા સામે ગુન્હો નોંધ્યો હતો. ત્રણેય આરોપીને જેલહવાલે કરાયા હતા. ચાર્જશીટ થયા પછી આરોપી પૈકીના અલારખા નુરમામદે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial