Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ દ્વારા મનરેગા મુદ્દે ભાજપ સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન : અટકાયત

ચાંદીબજારમાં બાપુના બાવલા પાસે

                                                                                                                                                                                                      

મનરેગા યોજનાનું નામ બદલાવવામાં આવ્યું છે. સત્તાના જોરે થતી આ કામગીરી સામે ગઈકાલે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગરીબો અને મધ્યમ વર્ગને કચડનારી આ ભાજપ સરકારે તાજેતરમાં મનરેગા જે પૂ. મહાત્મા ગાંધીના નામે ચાલે છે. તે યોજનાનું નામ બદલવામાં આવ્યું છે. આર.એસ.એસ.ની વિચારધારાવાળા સત્તામાં બેઠેલા લોકો સામે વિરોધ પ્રદર્શનનું ગઈકાલે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરાયા હતાં. ગત્ સાંજે ચાંદીબજાર, બાપુના બાવલા પાસે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, કોર્પોરટરો કાસમભાઈ જોખિયા, રચનાબેન નંદાણિયા, ઉપરાંત ડો. તૌસીફખાન પઠાણ, મહિપાલસિંહ, શક્તિસિંહ, ભરત વાળા, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં. આખરે પોલીસે અમુક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh