Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ વર્ષ પહેલાં નોંધાયો હતો ધ્રોલમાં ગુન્હોઃ
જામનગર તા. ૨૩: ધ્રોલમાં છ વર્ષ પહેલાં નોંધાયેલા અપહરણ તથા દુષ્કર્મ અંગેના એક ગુન્હામાં જે તે વખતના પોલીસ અધિકારીએ ફરજમાં કહેવાતી બેદરકારી દાખવી હોવાનું જણાઈ આવતા જિલ્લા પોલીસવડાએ ગઈકાલે આ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.
જામનગરના પોલીસતંત્રમાં હાલમાં એલઆઈબીમાં ફરજ બજાવતા પીઆઈ વાય.જે. વાઘેલાને સસ્પેન્ડ કરવાનો ગઈકાલે જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ આદેશ કર્યાે છે. આ અધિકારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વધુ જાણવા મળ્ય મુજબ વર્ષ ૨૦૧૯માં જ્યારે આ અધિકારી ધ્રોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે અપહરણ તથા દુષ્કર્મ અંગેનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં પીઆઈ વાય.જે. વાઘેલાએ કહેવાતી બેદરકારી દાખવી હતી. તે પછી ગઈકાલે ઉપરોક્ત હુકમ કરવામાં આવતા ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial