Advertisement
Author: નોબત સમાચાર

શહેરમાંથી ૩પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેંચાણકર્તા ધંધાર્થીઓ અને ઘાસચારાનું વેંચાણ કરતા ધંધાર્થીઓનેત્યાં મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ કરી માલસામાન જપ્ત કરી વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી.

ગત્ સપ્તાહ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ૭૮ ધંધાર્થીઓ/વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૩પ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂ. ૩૬,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગેરકાયદે રીતે ઘાસચારાનું વેંચાણ કરતા ૩૦ ધંધાર્થીઓને ત્યાંથી ઘાસચારાનો જથ્થો જપ્ત કરી આ ધંધાર્થીઓ પાસેથી રૂ. ૧પ,પ૦૦ ની વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલાત કરવામાં આવી હતી.

ઘાસચારો નાખવાથી પશુ ભેગા થાય છે અને તેના પરિણામે અકસ્માત થવાની શક્યતા રહે છે. આથી લોકોને જાહેર રોડ ઉપર ઘાસચારો નહીં નાખવાના મહાનગર પાલિકાએ અનુરોધ કર્યો છે.

જો લોકોને દાન કરવું જ હોય તો જેએમસી કનેક્ટ એપ મારફત દાન કરવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાને દાન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh