Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ચાર સાગરિતના નામ મેળવતી એલસીબીઃ
જામનગર તા. ૨૩: જોડીયાના માવનુગામ તથા અંબાલા ગામમાંથી ઘેટા-બકરાની ચોરી કરનાર ટોળકીના એક શખ્સને એલસીબીએ દબોચી લીધો છે. તેણે અન્ય ચાર સાગરિતોના નામ આપ્યા છે.
જોડિયા તાલુકાના માવનુગામ તથા નજીકમાં આવેલા અંબાલા ગામમાંથી કેટલાક સમય પહેલાં વાડાઓમાંથી ઘેટા-બકરાઓની ચોરી થયાની પોલીસમાં જુદી જુદી બે ફરિયાદ થવા પામી હતી. તેની ચાલી રહેલી તપાસ દરમિયાન એલસીબીના ક્રિપાલસિંહ, સુમીત શિયાર, ભયપાલસિંહ, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સુચનાથી જોડિયા તાલુકાના કેશીયા ગામમાં પાટીયા પાસેથી મૂળ ખેડા જિલ્લાના નડીયાદના કિશોર મનુભાઈ તળપદા નામના શખ્સની અટકાયત કરાઈ છે.
આ શખ્સની પુછપરછ કરાતા તેણે પોતાના સાગરીત નડીયાદના પરસોત્તમ પુંજાભાઈ તળપદા, નિઝામુદ્દીન મયુદ્દીન શેખ, ગોપાલ તળપદા ઉર્ફે ગટી, ઠાકોરભાઈ રયજીભાઈ તળપદાના નામ આપ્યા છે. આ શખ્સો સામે બાબરા, પેટલાદ, વરાસીયા તથા હિમતનગરમાં કુલ પાંચ ફરિયાદ નોંધાયેલી છે. એલસીબીએ આ આરોપીની અટક કરી છે અને બાકીના ચારની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial