Advertisement
Author: નોબત સમાચાર

બાંકોડીના યુવાનનું અકળ કારણથી વિષપાન

સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કલ્યાણપુરના બાંકોડી ગામના એક યુવાને સોમવારે અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈનું નિવેદન નોંધી પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના રાજુભાઈ કલાભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નામના યુવાને ગયા સોમવારે પોતાના ખેતરે જઈ કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે રાત્રે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ મુકેશભાઈ કલાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh