Advertisement
Author: નોબત સમાચાર

સાસુ પાસેથી મકાન લેવા પૈસા લીધા પછી તે અંગે વાત કરવા ગયેલા પ્રૌઢ પર હલ્લો

એક દંપતીએ માર મારી લોહીલુહાણ કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક વ્યક્તિએ પંદરેક વર્ષ પહેલાં પોતાના સાસુ પાસેથી મકાન લેવા માટે પૈસા લીધા પછી પરત આપ્યા હોવા છતાં તે મકાન સાસુ દ્વારા લેવાની વાત કરાતી હોય, સોમવારે આ વ્યક્તિ તેની વાત કરવા ગયા ત્યારે તેમના પર દંપતીએ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા.

જામનગરના સ્વામી નારાયણનગર નજીકના ભીમવાસમાં રહેતા રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા નામના પ્રૌઢે પંદરેક વર્ષ પહેલા પોતાના સાસુ સોનીબેન ભારાભાઈ પરમાર પાસેથી મકાન લેવા માટે હાથઉછીના પૈસા લીધા હતા. તે રકમ રાજાભાઈની પુત્રી સંજનાબેનના કહેવા મુજબ પરત આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં રાજાભાઈનું આ મકાન સંજનાબેનના નાની માંગતા હતા.

આ બાબતે ગયા સોમવારે રાજાભાઈ કિસાન ચોક નજીક હીરાસરમાં કહેવા જતા ત્યાં બોલાચાલી થઈ હતી. આ વેળાએ ખીમાભાઈ કાનાભાઈ પરમાર, મુરીબેન ખીમાભાઈ પરમારે ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. ખીમાભાઈએ ઢીકાપાટુ વરસાવ્યા હતા અને મુરીબેને ત્યાં પડેલી ડોલ ઉપાડી રાજાભાઈના માથામાં ઝીંકી દીધી હતી. લોહીલુહાણ બની ગયેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેણીના પુત્રી સંજનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh