Advertisement
Author: નોબત સમાચાર

નવાનાગનામાં નવા બનતા રોડમાં ખેડૂતને પૂછ્યા વગર ખેતરમાંથી ઉપાડી લેવાઈ માટી

ખેડૂતે ૧૬૪૬ ટન માટીની ચોરીની ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૬: જામનગર નજીકના નવાનાગનામાં રોડ બનાવવાના ચાલી રહેલા કામમાં માટીની જરૂરિયાત ઉભી થતાં ત્યાં કામ કરી રહેલા ખાનગી કંપનીના કર્મચારીઓએ બાજુમાં જ આવેલા એક ખેડૂતના ખેતરમાંથી મંજૂરી વગર જ નવ મહિનામાં ૧૬૪૬ ટન માટી ઉસેડી લઈ તેનો વપરાશ કરી નાખતા ખેડૂતે રૂા.૪ લાખથી વધુની માટીની ચોરી કર્યાની આ કંપનીના કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાઠોડ નામના ખેડૂતે એ એન્ડ ટી ઈન્ફાકોન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિ સામે પોતાની જમીનમાંથી ૧૬૪૬.૭૬ મે. ટન માટી ખોદી કાઢી તેની ચોરી કરી લીધાની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જીતેન્દ્રભાઈની ખેતીની જમીન રે.સ.નં.૧૫૦માં આવેલી છે. જ્યારે બાજુમાંથી પસાર થતો રોડ સર્વે નં.૧૫૧માં આવેલો છે. હાલમાં તે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને તે કામ એ એન્ડ ટી ઈન્ફાકોન પ્રા.લિ.ને મળ્યું છે.

રોડના કામમાં માટીની જરૂરિયાત હોવાથી આ કંપનીના ત્યાં કામ કરતા કર્મચારીઓએ બાજુમાં જ ખેતર ધરાવતા જીતેન્દ્રભાઈ રાઠોડને પૂછ્યા વગર જ તેમની ખેતીની જમીનમાંથી છેલ્લા નવેક મહિનામાં અનઅધિકૃત રીતે ખોદકામ કરી ૧૬૪૬.૭૬ મે. ટન માટી કાઢી લીધી છે. પોલીસે રૂા.૪,૦૬,૩૩૯ની કિંમતની માટીની ચોરી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh