Advertisement
Author: નોબત સમાચાર

બેરાજા ગામના સરપંચના પતિ તથા વચેટીયાની લાંચ કેસમાં જામીન અરજી રદ્દ

બે મહિના પહેલાં એસીબીએ પકડી પાડ્યા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના બેરાજા ગામના મહિલા સરપંચના પતિ તથા તેના દ્વારા મોકલવામાં આવેલા એક શખ્સ સામે બે મહિના પહેલાં એસીબીએ રૂા. ૭પ હજારની લાંચનો ગુન્હો નોંધ્યો હતો. ચાર્જશીટ થયા પછી બંને આરોપીએ જામીન મુકત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા ભલસાણ બેરાજા ગામમાં લીઝ પર ખાણ ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર આસામીને બે મહિના પહેલાં બેરાજા ગામના મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપાર દ્વારા ખાણના કામમાં કોઈ હેરાનગતિ ન થાય તે માટે રૂા.૭પ હજારની માગણી કરવામાં આવી હતી.

આ બાબતની એસીબીમાં ફરિયાદ કરાતા ગોઠવાયેલા છટકામાં દિનેશ તેજાભાઈ વતી રૂા.૭પ હજાર લેવા આવેલા હમીર દેવરાજ સોલંકીને દબોચી લેવામાં આવ્યો હતો. એસીબીએ દિનેશ તેજાભાઈ તથા હમીર દેવરાજની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

ત્યારપછી બંને આરોપીએ જામનગરની એસીબી અદાલતમાં જામીન અરજી કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આરોપીઓ જાહેર સેવકની વ્યાખ્યામાં આવતા નથી અને ચાર્જશીટ પણ થઈ ગયું છે. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીની અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh