Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અજાણ્યા પ્રૌઢનું બીમારીથી નિપજ્યું મૃત્યુ

ઓળખ મેળવવા રેલવે પોલીસ દ્વારા તજવીજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પરથી એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. કોઈ બીમારીના કારણે મૃત્યુ નિપજ્યાનું તારણ કાઢી રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નં.૧ પરથી ગઈકાલે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તેની જાણ પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ સ્ટાફ ધસી ગયો હતો.

પ્લેટફોર્મ નં.૧ પરથી અંદાજે પંચાવનેક વર્ષની વયના લાગતા આ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. તેઓનું કોઈ બીમારીના કારણે મૃત્યુ નિપજ્યાનું રેલવે પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસ સ્ટેશન-ગાંધીનગર-જામનગરનો સંપર્ક સાધવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh